ભારત દેશ આજે તેનો 79 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દેશભરમાં ચારે બાજુ તિરંગા યાત્રાથી લઇ ઘરે ઘરે તિરંગો લહેરાવીને આ ખાસ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશે ગુલામીની બેડીઓ તોડીને, આઝાદ ભારતની સવારમાં શ્વાસ લીધો હતો. ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત આ વર્ષે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહયો છે.
અમદાવાદ સીટી ગેટ કોમ્પ્લેક્સ ન્યુ વાસણા પ્રિઝમ હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હોસ્પિટલના ડૉક્ટરો, સ્ટાફ, મેનેજમેન્ટ ટીમ અને અન્ય મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રગાન સાથે દેશભક્તિના નાદ ગુંજ્યા અને સૌએ દેશની એકતા, અખંડિતતા અને સેવા ભાવના જાળવવાનો સંકલ્પ લીધો હતો.
