અમદાવાદ, 15 ઓગસ્ટ 2025
ગુજરાત સાયન્સ સિટીમાં આજ રોજ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉપસચિવ શ્રી આર. સી. દેસાઈ દ્વારા ધ્વજવંદન કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.
ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય ગાન ગાઈને ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે શ્રી આર. સી. દેસાઈએ પોતાના સંદેશમાં જણાવ્યું કે “સ્વતંત્રતા માત્ર વારસામાં મળેલાં મૂલ્ય નથી, પણ તેને જાળવવા અને મજબૂત બનાવવા આપણે સૌએ આપણા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરવું જરૂરી છે. વિજ્ઞાન અને નવીનતા ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ શ્રેષ્ઠ માધ્યમ છે.”કાર્યક્રમ દરમિયાન સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા, હરિયાળી તથા નવીનતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ ઉજવણીનો હેતુ દેશપ્રેમની ભાવના જાગૃત કરવો તથા વિજ્ઞાન ક્ષેત્રે ભારતને વધુ પ્રગતિશીલ બનાવવા માટે પ્રેરણા આપવાનો હતો.
