અમદાવાદ
અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે. શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે “ધ નવરાત્રી સોશિયલ” પ્લેટફોર્મ
આ એક એવી અનોખી કોમ્યુનિટી છે , જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર, માહિતીસભર અને રંગીન બનાવશે.
આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે, જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે.
ગરબા પ્રેમીઓને મળશે તમામ પ્રકારની માહિતી જેવી કે:-
અમદાવાદમાં ક્યાં ગરબા શ્રેષ્ઠ છે, ક્યાં સૌથી વધુ ઉત્સાહ હોય છે અને ક્યાંની સંગીત-સજાવટ મન મોહી લે તેવી હોય છે
આ સાથે તમે કયા પ્રકારનો ગરબા રમવા ઈચ્છો છો – પરંપરાગત, ફ્યુઝન કે મોડર્ન – તે માટે યોગ્ય સ્થળોની સૂચિ મળશે
ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું, કયા ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે તેની માહિતી મળી રહેશે
નવરાત્રી માટે સૌથી નવીન અને આકર્ષક ચણિયાચોળી ટ્રેન્ડ્સ, ડિઝાઇનર્સ, બ્યુટી ટિપ્સ, મેકઅપ ટિપ્સ, તેમજ શોપિંગ માટેના શ્રેષ્ઠ સ્થળોની જાણકારી પણ મળી રહેશે
આ સાથે તમારા ફેવરિટ સિંગર ક્યાં દિવસે ક્યાં રહેશે તે પણ માહતી મળી રહેશે
ગરબા સ્થળની સજાવટ અંગે સર્જનાત્મક વિચારો અને અમદાવાદના પ્રસિદ્ધ ડેકોર થીમ્સની માહિતી સાથે સાથે ખૈલૈયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડેએ માટે સુરક્ષા, પાર્કિંગ સુવિધા, ટિકિટિંગ અને સમયસૂચિ જેવી વ્યવહારુ માહિતી પણ મળી રહેશે
કોમ્યુનિટી વિષે વધુમાં જણાવતા સેજલ ગોહિલ, ફાઉન્ડર ઓફ ધ નવરાત્રી સોશિયલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ‘ધ નવરાત્રી સોશિયલ’ દ્વારા અમે અમદાવાદના ગરબા પ્રેમીઓને એકબીજાની સાથે જોડીને તેમને શ્રેષ્ઠ માહિતી, માર્ગદર્શન અને અનુભવ શેર કરવાની તક આપવા માંગીએ છીએ.” આ કોમ્યુનિટી માત્ર ઓનલાઇન માહિતી પૂરતી સીમિત નથી. નવરાત્રી દરમિયાન ‘ધ નવરાત્રી સોશિયલ’ ટીમ વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને લાઇવ અપડેટ્સ, વિડિયો કવરેજ, ઇન્ટરવ્યુઝ અને સ્પેશિયલ ફીચર્સ પણ પ્રસ્તુત કરશે.
અમદાવાદના ગરબા રસિકો માટે ‘ધ નવરાત્રી સોશિયલ’એ એક એવું પ્લેટફોર્મ બની શકે છે જે તેમના નવ દિવસના ઉત્સવને વધુ આનંદમય અને યાદગાર બનાવી દે.
INSTAGRAM link :-
https://www.instagram.com/reel/DNgSffjywej/?igsh=MXRsMXBzNm1nN3d4Yg==
