અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2025 : ગુજરાતના લોકપ્રિય લોકસંગીત આઇકન અને “ડાંડીયા કિંગ” તરીકે જાણીતા કીર્તિદાન ગઢવી આજે અમદાવાદમાં અગ્રણી મીડિયા પ્રતિનિધિઓ સાથે યોજાયેલા વિશેષ ઈન્ટર એક્શનમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમના સંગીતમય પ્રવાસ, સર્જનાત્મક સફર અને આવનારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.
ઈન્ટરેક્શન દરમિયાન કીર્તિદાન ગઢવી એ પોતાના સંગીત જીવનની વાતો ખુલ્લા હૃદયથી શેર કરી – ગામડાના નાના ડાયરાઓથી શરૂઆત કરીને નવરાત્રીના વિશાળ ગરબા મંચો સુધીનો સફર અને અંતે ગુજરાતી લોકસંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની સિદ્ધિ વિશે ચર્ચા કરી. તેમની આત્મીય અવાજ અને અનોખી શૈલી, જે ભક્તિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, આજે ભારતથી લઈને અમેરિકા, યુકે અને મધ્ય પૂર્વ સુધીના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહી છે.
ઉત્સવો અંગે વાત કરતાં કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે નવરાત્રી તેમના હૃદયને સૌથી નજીક છે, કારણ કે તે તેમને સીધા ગુજરાતના લોકો સાથે સંગીત, તાલ અને ભક્તિ દ્વારા જોડે છે. તેમણે પોતાની આવનારી નવરાત્રી કલેક્શન અંગે પણ ઝલક આપી, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે અને જે આ વર્ષની ઉજવણીમાં ખાસ રંગ ભરી દેશે.
આ કાર્યક્રમમાં મીડિયાના પ્રતિનિધિઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો અને કીર્તિદાન ગઢવી સાથે એક-થી-એક સંવાદ કર્યો. લોકસંગીતના વિકાસ, પરંપરાને જીવંત રાખવાના તેમના પ્રયાસો અને કલાકારોની ભૂમિકા વિષે તેમણે વિચારો રજૂ કર્યા કે કેવી રીતે વારસાને નવી પેઢી સાથે જોડાય શકાય.
નવરાત્રીના આગમન સાથે, કીર્તિદાન ગઢવીએ ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ ખરેખર ગુજરાતના ગરબા અને લોકસંગીતના સાચા અવાજ છે – એક એવી દંતકથા, જેમનું સંગીત સીમાઓ અને પેઢીઓને પાર કરી જાય છે.
INSTAGRAM link :-
https://www.instagram.com/reel/DO8sowgkr_y/?igsh=NjNyNWU0Nzl3Z3Ix
