ભારતીય બેડમિન્ટન ખેલાડી શટલર સાયના નેહવાલે તેના પતિ અને બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપ (પી. કશ્યપ) થી અલગ થવાની માહિતી આપી. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ‘ઘણા વિચાર કર્યા પછી, કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે.’
સાયનાએ લખ્યું, ‘જીવન ક્યારેક આપણને અલગ અલગ દિશામાં લઈ જાય છે. અમે એકબીજા માટે શાંતિ અને ઉન્નતિ પસંદ કરી રહ્યા છીએ. હું તેની સાથેની બધી યાદો માટે આભારી છું અને ભવિષ્ય માટે તેને શુભકામનાઓ પાઠવું છું. અમને સમજવા અને આદર આપવા બદલ આભાર.’
સાયના નેહવાલે 14 ડિસેમ્બર, 2018ના રોજ કશ્યપ પારુપલ્લી સાથે લવ મેરેજ કર્યા હતા. બંને 2007થી રિલેશનશિપમાં હતા. જોકે, તેઓ 2005થી એકબીજાને ઓળખતા હતા. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં બંને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડેમીમાં સાથે તાલીમ લેતા હતા.