Views: 56
Read Time:56 Second
શહેનશાહે ગુજરાત’ અને ‘શહેનશાહે વિલાયત’ના નામથી જાણીતા મહાન સુફી સંત શાહેઆલમ સરકારના 567મા ઉર્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
માહે જમાદિલ આખિરની ચાંદ રાતની મગરિબની નમાઝ બાદ બુંદીના લાડુ વહેંચવાની પરંપરા સાથે ઉર્ષ શરૂ થઈ જાય છે.
છેલ્લા 40 વર્ષથી આ લાડુ પહેલવાન મીઠાઈવાલાના કુટુંબીજનો બનાવી રહ્યા છે. આ વર્ષે 600 કિલો લાડુ બનાવાયા. આ વર્ષે તેમનો 567મો ઉર્સ મનાવાશે.
જો આગામી 21 નવેમ્બર, શુક્રવારના રોજ માહે જમાદિલ આખિરનો ચાંદ દેખાશે તો 22 નવેમ્બર, શનિવારથી ઉર્ષના પડઘમ વાગવા લાગશે. જમાદિલ આખિરના 15મા ચાંદથી 23મા ચાંદ સુધી ઉર્ષ મનાવાશે.
