• મુખ્ય મહેમાન તરીકે શ્રી ધનરાજભાઈ રાજપાલ (એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર -ભુજ) ઉપસ્થિત રહ્યા હતા.
• વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રહેવાની સુવિધા અપાશે.
• ભેગી કરાયેલી રકમ સમાજના ઉત્કર્ષ માટે વપરાશે.
રૂપાલ :- ૨૮૨ વણકર સમાજ દ્વારા સમાજના બાળકો માટે “નાનું પણ આપણું” શૈક્ષણિક ભવન સ્થાપવાનાં નમ્ર પ્રયાસ સાથે ગામ રૂપાલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધનરાજભાઈ રાજપાલ (એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ & મામલતદાર ભુજ) ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં એક અધ્યતન સંકુલ કરી “નાનું પણ આપણું” શૈક્ષણિક ભવન સ્થાપવાનો નમ્ર પ્રયાસ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
શિક્ષણ થી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે . સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે . વ્યક્તિ નો સર્વાંગી વિકાસ શિક્ષણ ના કારણે થાય છે . શિક્ષણ હોય તો ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે . આજના યુગમાં શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિ આગળ નીકળી જાય છે . શિક્ષણ વિનાનું જીવન પાંગળું બની જાય છે .
નક્કી કરેલા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા શિક્ષણ ખુબજ જરૂરી છે તેથી સમાજ નાં બાળકઓ શિક્ષણ નું મહત્વ શું છે તે સમજી શકે તે માટે શિક્ષણ ભવન બનાવવા માટે અથાગ પ્રયત્નો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
જેમાં સમાજના ભાવિ પેઢી માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ., જી.પી.એસ.સી તથા સરકારી ભરતીને લગતા તાલીમ કેન્દ્રો ઊભા કરવા આ ૨૮૨ વણકર સમાજ નો મુખ્ય ધ્યેય છે.
આ કાર્યક્રમમાં ૨૮૨ વણકર સમાજના પ્રતિષ્ઠિત મહાનુભવો, આગેવાનો અને સમાજના શ્રેષ્ઠિઓ, દાનવીરો તથા વણકર સમાજના વિકાસ માટે ફાળો આપનાર લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
