દાણીલીમડા બેરલ માર્કેટ માં અલહમ્દ મસ્જિદ પાસે આવેલ ઈસરાર એ ચમન ટ્રસ્ટ દ્વારા હઝરત ઈસરાર અલી શાહ સાની (રહમતુલ્લાહ અલયહે) નો ૩૭ મો ઉર્ષ મુબારક ૭ જાન્યુઆરીએ મનાવવામાં આવશે.
૫ મી એ ઝોહર ની નમાઝ બાદ ગંજ શહીદ કબ્રસ્તાનમાં આવેલ તેમના મજાર શરીફ ખાતે ગુસ્લ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
૬ ઠ્ઠી એ રાત્રે ૯ કલાકે સંદલ શરીફ પેશ કરવામાં આવશે. જ્યારે ૭ જાન્યુઆરીના રોજ ઉર્ષ નિમિત્તે સાંજે ૫ કલાકે ન્યાઝ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ૧૦૧ ડેગ ખીચડો બનાવવામાં આવશે.
આ તમામ કાર્યક્રમ રોશન અલી શાહ કાદરી ચિશ્તી જૂનેદી ની આગેવાની હેઠળ યોજવામાં આવશે.
આ ઉર્ષ નિમિત્તે અકીદતમંદો ને વહેંચવા માટે ૧૫૦૦ કિલો બુંદીના લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. જે વર્ષો થી બશીરભાઈ પહેલવાન ના વંશજો દ્વારા બનાવવામાં આવે છે.
Ahmedabad :-Reporter :- Habibkhan ashrafi 📝
