જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યનું કોઈ એક રાશિમાં પ્રવેશ કરવું તે ઘટનાને સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આથી તેને મકર સંક્રાંતિ કહેવાય છે. આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવાશે અને આ દિવસે સૂર્ય મકર રાશિમાં બપોરે 3 વાગીને 13 મિનિટ પર પ્રવેશ કરશે. મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળમાં દાન અને સ્નાન અને ધ્યાન કરવું એ સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
ચાલો જાણીએ કે વર્ષ 2026ની મકર સંક્રાંતિના દિવસે પુણ્ય કાળ અને મહાપુણ્ય કાળ કયા સમયે રહેશે?
મકરસંક્રાંતિ પર પુણ્ય કાળ 14 જાન્યુઆરીના બપોરે 03:13 મિનિટથી શરૂ થશે અને મહાપુણ્ય કાળ પણ બપોરે 03:13 મિનિટથી શરૂ થશે જે સાંજના 04:58 મિનિટ સુધી રહેશે. આ દિવસે ગંગા સ્નાન સવારે 09:03 મિનિટથી લઈને સવારે 10:48 મિનિટ સુધી રહેશે.
મકરસંક્રાંતિ પૂજન વિધિમકરસંક્રાંતિના દિવસે સૂર્યોદયથી પહેલા ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. જો તે સંભવ ના હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી દો. સૂર્યદેવની પૂજા કરો તેમને અર્ઘ્ય આપો. અર્ઘ્યના પાણીમાં નારાછડી, ચોખા અને લાલ ફૂલ ઉમેરો. આ દિવસે તેલ, ગોલ, ચોખા, કપડાં અને ધાબળાનું દાન કરો. તેલ-ગોળના લાડવા, ખિચડી અને સિઝનના વ્યંજન બનાવીને ભગવાનને ધરાવો. આ દિવસે ‘ऊं घृणि सूर्याय नमः’ મંત્રનો જાપ કરો. સાથે જ ગીતા અને સૂર્ય ઉપાસનાનો પાઠ કરો.
મકર સંક્રાંતિના અન્ય નામ:-
ભારતના અલગ અલગ રાજ્યોમા મકર સંક્રાંતિ અલગ-અલગ નામ અને પરંપરા સાથે ઉજવાય છે જેમ કે તમિલનાડુમાં પોંગલ, પંજાબમાં લોહરી, ગુજરાતમાં ઉત્તરાયણ અને ઉત્તરભારતમાં ખિચડી કે મકરસંક્રાંતિ.
મકરસંક્રાંતિનું મહત્ત્વ:-
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના દિવસે ગંગા નદી સહિત અન્ય પવિત્ર નદીઓ, તીર્થો અને સરોવરોમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ઉનના વસ્ત્રો, ધાબળા, જૂતાં, ધાર્મિક ગ્રંથો અને પંચાંગનું દાન કરવું એ વિશેષ પુણ્ય ફાળદાયી માનવામાં આવે છે. આ પર્વ એ સૂર્યની ઉપાસનાનો દિવસ છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન સૂર્ય તેના પુત્ર શનિને મળવા તેના ઘરે એટલે કે મકર રાશિમાં જાય છે. આ પર્વના દિવસે પાકની કાપણી પણ થાય છે.
ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારમાં આનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર અસૂરોનો સંહાર કર્યો હતો અને ધર્મની સ્થાપન કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં ગંગાજી ભગીરથના પાછળ પાછળ સ્વર્ગથી પૃથ્વી પર આવ્યા હતા અને આ દિવસથી તે પતિત પાવની નામથી ઓળખાયા હતા.
