23 માર્ચે ત્રણ મહાન ક્રાંતિકારીઓએ ભારતની સ્વતંત્રતા માટે ખુશીથી પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
આ દિવસે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. દર વર્ષે, આ દિવસને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા ક્રાંતિકારીઓના સન્માનમાં શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પુણ્યતિથિ પર આજે ભારતભરમાં ઊંડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
આ ત્રણ મહાન ક્રાંતિકારીઓ હંમેશા યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત રહેશે ત્યારે તેમના સન્માન માં સનાતન યુવા ક્લબ દ્વારા ખાસ છાશ વિતરણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સનાતન યુવા ક્લબ તમામ સભ્યો સાથે સમાજના આગેવાનો અશોક શર્મા (હિન્દુ સામ્રાજ્ય આર્મી ચીફ), મીરા બેન રાજપૂત (વિરંગના ક્લબના વડા), કલ્પના બા સિસોદિયા (વીર યોદ્ધા તલવારબાજી જૂથના વડા) અને પારુલ બેન આચાર્ય (ભાજપ)ઉપસ્થિત રહી કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો.
