• રાજપૂતોનો ઇતિહાસ હંમેશા ધર્મની રક્ષા અને પ્રભુ ભક્તિ સાથે જોડાયેલો રહ્યો છે ¡¡
તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે:-
‘રઘુકુલ રીતી સદા ચલી આઈ,
પ્રાણ જાય પર વચન ન જાઈ.’ !!
આવા પરમ પવિત્ર રઘુકુળના નાયક શ્રી રામના ગુણગાન ગાવા માટે મનોહરસિંહ છતૂસિંહ શેખાવત અને લક્ષ્મણસિંહ છતૂસિંહ શેખાવતના ઘરે અખંડ રામાયણના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું.
• જય શ્રી રામ! જય રઘુનાથ જી કી!
• શેખાવત પરિવારના આંગણે અદ્ભુત વાતાવરણ સર્જાયું !!
ક્ષત્રિય ધર્મ અને ભક્તિનો સમન્વય હંમેશાંથી અદ્ભુત રહ્યો છે, અને મનોહરસિંહ છતૂસિંહ શેખાવત અને લક્ષ્મણસિંહ છતૂસિંહ શેખાવતના પરિવારે પોતાના ઘરે રામચરિતમાનસની આ ગંગા વહાવીને આખા વાતાવરણને પવિત્ર કરી દીધું.
શેખાવાત પરિવારના આ આંગણે જાણે સાક્ષાત અયોધ્યા નગરી ઉતરી આવી હોય તેવો ભાસ થયો. શ્રી રામચરિતમાનસની એક-એક ચૌપાઈ એ આપણા હૃદયમાં વીરતા અને સંસ્કારનું સિંચન કર્યું.
આ કાર્યક્રમમાં અતુલ ભાઈ મિશ્રા (દંડક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન), રીટા બેન પટેલ, યશ ભાઈ જાદવ, પાયલ બેન (મ્યુનિસિપલ કોર્પોરેટર ચાંદખેડા વોર્ડ), રાહુલ મારુ (પ્રમુખ સનાતન યુવા કલબ) ભરતપાલ સિંહ શેખાવત (મંત્રી સનાતન યુવા કલબ), દેવેન્દ્રસિંહ રાજપૂત સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
