પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ ડો. શ્રી વાગીશકુમાર મહારાજશ્રીના મંગલમય ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય શ્રી મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ આજના યુવાન અને યુવતીઓમાં ધર્મનો પ્રચાર – પ્રસાર અને સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વચનામૃત તેમજ વ્યક્તવ્યનું આયોજન કરાયું છે.
આ દિવ્ય ત્રિ-દિવસીય પ્રસંગોમાં આજ શુક્રવારના રોજ છપ્પનભોગ, શનિવારના રોજ હોલી રસિયા અને રવિવારના રોજ ડો. શ્રી વાગીશકુમાર મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ તેમના વચનામૃતનો લાભ મળશે.