• આજે અમદાવાદનો 615 મો જન્મદિવસ !!
• સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ ખાતે અમદાવાદનો 615મો સ્થાપના દિન ઉજવણી !!
અમદાવાદ શહેરનો આજે 615મો સ્થાપના દિવસ છે અને આ પ્રસંગે ચાલો આપણે આ ઐતિહાસિક નગરના ભૂતકાળમાં ડોકિયું કરીએ.
26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અહમદાબાદ 615 વર્ષની લાંબી મજલ ખેડીને આજે અમદાવાદ બન્યું છે. મેટ્રો સિટી અને ગુજરાતનું હાર્દ અમદાવાદ આજે પણ એક વ્યક્તિનું ઋણી છે, કદાચ એ વ્યક્તિએ પોતાનું બલીદાન આપ્યું ન હોત, તો આજે અમદાવાદ જે ઉંચાઇ પર પહોંચ્યું છે, તે ઉંચાઇ પર પહોંચ્યું ન હોત અને કંગાળ હાલતમાં જીવતું હોત, તેવું અમદાવાદના નગર દેવી વિશેની એક દંતકથામાં વર્ણવવામાં આવ્યું છે.
અમદાવાદ સાબરમતીને કાંઠે વસેલું છે, શહેરના મધ્ય ભાગમાંથી સાબરમતી નદી વહેતી હોવાથીએ અમદાવાદ બે ભાગ વહેંચાયેલું છે. અમદાવાદ પૂર્વ અને પશ્નિમ અમદાવાદ. અમદાવાદ ચોતરફ વિસ્તર્યું છે. જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તારનું –પોળોનું અમદાવાદ, પણ હવે અમદાવાદ નદી પાર બંને બાજુ ખૂબ વિસ્તર્યું છે. શહેરનો ઘેરોવો ચારે બાજુ ઘણો વધ્યો છે.
સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ ખાતે અમદાવાદનો 615મો સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સર્વ યોગ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો સાથે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ ના ફાઉન્ડર સિદ્ધાર્થ પટેલે કેક કટ કરીને અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરી.
શાળામાં અભ્યાસ કરતા બાળકોને અમદાવાદની સ્થાપના કેવી રીતે થઈ અને કોણે કરી તેનું મહત્વ પણ સમજાવ્યું!!
YOUTUBE LINK :-
