પંજાબ નેશનલ બેંકના ઝોનલ પ્રમુખ શ્રી વિનિશ કુમાર ચાવલા એ આ શાખાનું વિધિવત અનાવરણ કરતા જણાવ્યું હતું કે,”અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેંકિંગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા પોતાની આ ૧૦૩મી શાખાનું હંસપુરા, નવા નરોડા વિસ્તારમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ શાખા ગ્રાહકોને આધુનિક ટેકનોલોજી અને ઝડપી સેવાઓ પૂરી પાડવાના સંકલ્પ સાથે કાર્યરત થઈ છે.”
શ્રીમતી અભિલાષા બોલિયા એ જણાવ્યું હતું કે ,”અમદાવાદના વિકાસ પામતા હંસપુરા વિસ્તારમાં આજે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. પંજાબ નેશનલ બેંકની નવી શાખાનું ઉદ્ઘાટન બેંકના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
આ નવી શાખા દ્વારા હંસપુરા અને તેની આસપાસના રસ્તા પરના રહીશો તેમજ વેપારીઓને હવે બેંકિંગ કાર્યો માટે દૂર જવાની જરૂર નહીં રહે.”
શાખાની મુખ્ય વિશેષતાઓ:
ડિજિટલ બેંકિંગ: 24/7 ATM અને પાસબુક પ્રિન્ટિંગની અત્યાધુનિક સુવિધા.
લોન સુવિધા: ગૃહ ધિરાણ, કાર લોન અને MSME એકમો માટે સરળ લોન પ્રક્રિયા.
અમારો લક્ષ્ય માત્ર શાખા ખોલવાનો નથી, પણ હંસપુરાના નાગરિકોના વિશ્વાસની ભાગીદાર બનવાનો છે. અમે ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝન સાથે છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ બેંકિંગ સેવાઓ પહોંચાડવા કટિબદ્ધ છીએ. વરિષ્ટ નાગરિકો માટે વિશેષ કાઉન્ટર અને ઝડપી કેશ ટ્રાન્ઝેક્શનની ખાસ સુવિધાઓ આ શાખા આપશે.
YOUTUBE LINK :-
