તુરિયા પથરી માટે રામબાણ ઈલાજ સમાન છે. તુરિયાનો એક ખાસ રીતથી ઉપયોગ કરવાથી પથરી શરીરની બહાર નીકળી જાય છે અને અઠવાડિયામાં તો તમે ફોરા જેવા હળવાફૂલ થઈ જશો અને બીજુ એ કે આ આયુર્વેેદિક છે તેની કોઈ આડ-અસર પણ નથી માટે ટ્રાય કરવામાં કશું ખોટું નથી.
તુરિયાના વેલાના પાંદડા ઘસીને પાણી સાથે પીજો
આયુર્વેદમાં જણાવ્યાનુસાર, તુરિયાના વેલાના પાંદડા વાટીને પાણી સાથે પીવાથી પથરી શરીર બહાર નીકળી જાય છે. એકધાર્યું અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ઘણો લાભ મળે છે.
સુગરને પણ કંટ્રોલ કરે છે તુરિયા
તુરિયા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઔષધિથી ઓછું નથી. તુરિયા સુગરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આ માટે તમે તુરિયાનું શાક ખાઇ શકો છો. તમે તુરિયાનો સૂપ બનાવીને પણ પી શકો છો.
આ ઉપરાંત તુરિયાનો બીજો પણ મોટો લાભ વજન ઉતારવાનો છે. તુરિયાનો સૂપ પીવાથી વજન સડસડાટ ઉતરી જાય છે.
