અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલીક સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૧ શ્રી નિરજ બડગુજર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૩ રૂપલ સોલંકી સાહેબ તથા મદદનિશ પોલીસ કમિશ્નર શ્રી વાણી દુધાત સાહેબ (ઈ ડીવિઝન) નાઓ તરફથી ગુમ થયેલ ઇસમો શોધી કાઢવા સારૂ મળેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ભાટીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અત્રેના ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અનાર્મ મ.સ.ઇ મહેન્દ્ર દાજીરાવ બ.નં.૭૮૦૪ તથા અ.પો.કો લોકેન્દ્રસિંહ પુરણસિંહ તેમજ OSD ચીરાગ કાંતીભાઇ નાઓ ખાડીયા પોલીસ સ્ટેશનની મોબાઇલવાનમાં ફરજ પર હાજર હતા તે વખતે પેટ્રોલીંગ દરમ્યાન સાંરગપુર દરવાજા પાસે એક અજાણ્યો ઈસમ હાથમાં રોટલી લઈને ખાતો હોય જેથી માનવતાના ધોરણે તે ઇસમની પાસે જઈ પુછપરછ કરતા તે પરીવારથી વિખોટો પડેલ હોય તેવી શંકા જતા યુક્તી પ્રયુક્તી થી સદર ઇસમની પુછપરછ કરતા તેઓએ તેનુ નામ પ્રફુલ હંસરાજ ફુલજલે રહે બાલાજી નગર નાગપુર જણાવેલ અને બરોબર જવાબ આપતો ના હોય જેથી સાથેના અનાર્મ મ.સ.ઇ મહેન્દ્ર દાજીરાવ બ.નં.૭૮૦૪ નાઓએ ઇન્ટરનેટ માધ્યમથી ગુગલ એપ્લીકેશનમાં સરનામુ સર્ચ કરી તેઓના રહેણાક વિસ્તાર બાલાજી નગરના હુડકેશ્વર પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રનો સંપર્ક કરી સદર ઇસમના ફોટો તેઓને મોકલી ઇસમની તપાસ કરી કરાવતા સુંદર ઇસમના પરિવારનો મોબાઇલ નંબર મળી આવેલ જેથી મોબાઇલ નંબર આધારે પરિવાર સાથે વાતચીત કરતા ઉપરોક્ત ઇસમ પ્રફૂલ નાઓ સને-૨૦૧૮થી ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હતો અને આજદીન સુધી મળી આવેલ નથી તેવી હકિકત જાણવા મળેલ જેથી સદર ઇસમની ફોન પર પરીવાર સાથે વાત કરાવી નાગપુર મુકામેથી તેઓના ભાઇ પ્રતીક નાઓને અત્રે ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે તેઓના ભાઇને આવવા જણાવેલ તે દરમ્યાન સદર ઇસમ પ્રફૂલ નાઓ છેલ્લા આઠેક વર્ષથી જાહેર રોડ ઉપર રખડતો ભટકતો હોય અને તેના વાળ તેમજ દાઢી ખુબજ વધી ગયેલ હોય અને લાબા સમયથી ભુખથી પીડાતો હોય અને કેટલાય સમયથી સ્નાન કરેલ ના હોય જેથી અત્રેના ખાડીયા પોલીસ સ્ટેશના પોલીસ સ્ટાફના માણસોએ માનવતાના ઘોરણે તેને લઈને હેર સલુનમાં જઈ વાળ તેમજ દાઢી કપાવી જાહેર સ્નાનાઘર માં જઈ સ્નાન કરાવી નવા કપડા લત્તા અપાવી પોષ્ટીક ખોરાક ખવડાવી આજરોજ તેઓના સગા ભાઇ નાગપુર મુકામેથી આવી જતા પો.ઇન્સશ્રી એસ.જે.ભાટીયા સાહેબ નાઓએ સદર ઇસમની ખરાઇ તેમજ જરૂરી આધાર કાર્ડ ડોક્યુમેન્ટ થી તેઓને લેવા આવેલ ભાઇ પ્રતીક નાઓના આધારકાર્ડ મેચ કરી તેઓનો કબ્જો તેના ભાઇ પ્રતીક નાઓને સોપી છેલ્લા આઠ વર્ષથી ગુમ થયેલ ઇસમને પરિવાર સાથે મીલાપ કરાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર કર્મચારી-
(૧) અનાર્મ મ.સ.ઇ મહેન્દ્ર દાજીરાવ
(૨) અનાર્મ હેડ કોન્સ રાજેશભાઈ દિવાનજી
(૩)અનાર્મ હેડ કોન્સ રમેશભાઇ દેવજીભાઇ
(૪) અ.પો.કો લોકેન્દ્રસિંહ પુરણસિંહ
(૫) OSD ચીરાગ કાંતીભાઇ
(૬) OSD હસુભાઇ ઓઢવજીભાઇ
