મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમી જેની ભવ્ય ઉજવણી ભવ્ય સરઘસ સાથે અમદાવાદ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી હતી.
રામલલાનો જન્મ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. એટલા માટે દર વર્ષે ચૈત્ર મહિનાની નવમીએ શ્રીરામની જન્મજયંતિ એટલે કે રામનવમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
અમદાવાદના ઇસનપુર ખાતે કિન્નર સમાજના અગ્રણી કામિની દે દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં એક મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામલલ્લાની તસ્વીર સાથે રથ, ઢોલ નગારા ડીજે, હાથી, ઊંટ ગાડી સાથે ભવ્ય શોભાયાત્રા વિશાલનગર ખાતે યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજ અને લોકો જોડાયા હતા.
આ પ્રસંગે કિન્નર સમાજના અગ્રણીઓ એવા કશીશદે ભાવનાદે નાયક, કામિનીદે, કશીશ દે, સુનિતાદે, કોહિનૂર દે વગેરે જોડાયા હતા અને દેશમાં એકતા અને શાંતિ અને લોકોની સુખશાંતિ માટે મનોકામના કરવામાં આવી હતી.
INSTAGRAM LINK :-
https://www.instagram.com/reel/DWWBAvpDLHa/?igsh=MTB5c255bHo2NG1t
