30 જુલાઈ 2025 ભારત અને વિશ્વ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો, જ્યારે NISAR (NASA-ISRO Synthetic Aperture Radar) સેટેલાઇટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5:40 વાગ્યે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો.
30 જુલાઈ 2025 ના રશિયાના કામચટકા દ્વીપકલ્પ નજીક ઓખોત્સ્ક સમુદ્રમાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે 12 દેશો – રશિયા, જાપાન, હવાઈ, કેલિફોર્નિયા, અલાસ્કા, સોલોમન ટાપુઓ, ચિલી, એક્વાડોર, પેરુ, ફિલિપાઇન્સ, ગુઆમ અને ન્યુઝીલેન્ડમાં સુનામીનો ખતરો ઉભો થયો છે. આ ભૂકંપની તાકાત હિરોશિમા જેવા 9000-14000 અણુ બોમ્બ જેટલી હતી. કુરિલ ટાપુઓ પર 5 મીટર ઊંચા મોજા અથડાયા. જાપાનના ફુકુશિમામાં લોકો 2011ના સુનામીથી ડરી ગયા છે.
આવી આફતોની જાણકારી અગાઉથી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. NISAR આ જ કરશે. આ ઉપગ્રહ ભૂકંપ પહેલા જમીનની સહેજ પણ હિલચાલ શોધી શકે છે. તે સુનામીની શક્યતાની આગાહી કરી શકે છે. તેનો ડેટા આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી અને વધુ સચોટ બનાવશે, જેનાથી જાનમાલનું નુકસાન ઓછું થશે.
ભારત માટે NISAR શા માટે મહત્વપૂર્ણ?
ભૂકંપ: તે ફોલ્ટ લાઇન (પૃથ્વીની તિરાડો) માં નાની હલનચલનને પકડી લે છે. આના પરથી ભૂકંપની શક્યતાનો અંદાજ લગાવી શકાય છે.
સુનામી: તે ભૂકંપ પછી દરિયાઈ ગતિવિધિ અને દરિયાકાંઠાના પૂરનું નિરીક્ષણ કરીને સુનામીની ચેતવણી આપશે.
જ્વાળામુખી: તે જ્વાળામુખીની નીચે થતી ગતિવીધી અથવા જમીનના ફૂલવાને જોઈને ફાટવાની માહિતી આપી શકે છે.
ભૂસ્ખલન અને પૂર: પર્વતોમાં માટીની હલનચલન અથવા નદીઓના પાણીના સ્તરને માપીને ભૂસ્ખલન અને પૂરની ચેતવણી આપશે.
