ગાંધીનગર : સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અંતર્ગતની સ્વર્ણિમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે યુનિવર્સિટી કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કોલેજના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પર્યાવરણ જાળવણી, કુદરતી સંસાધનોના સંરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવા માટે વૃક્ષારોપણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
કોલેજના પ્રિન્સિપલ ડૉ. એન. એમ. પટેલે વૃક્ષોના મહત્વ પર પ્રકાશ પાડતા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની અને તેનું સંવર્ધન કરવાની અપીલ કરી હતી, જેથી આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ મળી રહે.કાર્યક્રમનું સમાપન પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી અપનાવવાના સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું.
