શનિવારના શુભ અવસરે ચાંદખેડા ખાતે અલબેલા હનુમાન મંદિર પરિસરમાં સનાતન યુવા ક્લબ દ્વારા સમાજ ઉપયોગી સેવા કાર્યના ભાગરૂપે મહાપ્રસાદ (ખીચડી) વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં હિન્દુ સામ્રાજ્યના આર્મી ચીફ અશોક શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે સેવા કાર્યમાં ઉત્સાહભેર સહભાગી થઈને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન તેમણે સનાતન યુવા ક્લબ દ્વારા સમાજના હિતમાં અને સંસ્કૃતિના જતન માટે હાથ ધરાતા વિવિધ સેવાકીય કાર્યોની મુક્ત મને પ્રશંસા કરી હતી અને ક્લબના તમામ સભ્યોને બિરદાવ્યા હતા.
“સેવા એ જ ધર્મ” – સનાતન યુવા ક્લબના આ અવિરત સેવા યજ્ઞમાં સહભાગી થનાર તમામ ભક્તો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર. 🙏
જય શ્રી રામ !!!