• ભગવતી સોના મહેલની ચાર પેઢીઓની પરંપરાને નવી દિશા: EVERSIAનું પ્રથમ ફ્લેગશિપ સ્ટુડિયો લોન્ચ ¡¡
• પરંપરાનો વારસો, આધુનિકતાનો સ્પર્શ: EVERSIAએ અમદાવાદમાં શરૂ કર્યું પ્રથમ ફ્લેગશિપ સ્ટુડિયો ¡¡
• પોસાય તેવી કિંમતે લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી; EVERSIAનું પ્રથમ સ્ટુડિયો શરૂ ¡¡
અમદાવાદ: વૃદ્ધિ ભાવસાર દ્વારા સ્થાપિત પ્રીમિયમ જ્વેલરી બ્રાન્ડ EVERSIAએ થલતેજ, અમદાવાદ ખાતે પોતાના પ્રથમ ફ્લેગશિપ સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું છે. 1947થી વિશ્વાસનું પ્રતીક બનેલા ભગવતી સોના મહેલ, માણેકચોક વાળાની ચાર પેઢીઓની પરંપરાને આગળ વધારતી EVERSIAની મુખ્ય વિશેષતા 925 સ્ટર્લિંગ સિલ્વર સાથેની લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી છે.
પરંપરાગત ગોલ્ડ જ્વેલરીની સરખામણીએ વધુ પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ આ કલેક્શન ગ્રાહકોને પ્રીમિયમ ડિઝાઇન, ઉત્તમ ગુણવત્તા અને આધુનિક સ્ટાઇલનો અનુભવ કરાવે છે. સ્ટુડિયોમાં રિંગ્સ, ઇયરિંગ્સ, પેન્ડન્ટ્સ, નેકલેસ, બ્રેસલેટ્સ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી, નેચરલ ડાયમંડ જ્વેલરી, સિલ્વર ગિફ્ટ આર્ટિકલ્સ અને સિલ્વર કૉઇન્સ પણ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે EVERSIAના સ્થાપક વૃદ્ધિ ભાવસારે જણાવ્યું હતું કે, “અમારું ધ્યેય 925 સ્ટર્લિંગ સિલ્વર સાથેની લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી દ્વારા ગ્રાહકોને પોસાય તેવી કિંમતે વૈભવી અને ગુણવત્તાસભર જ્વેલરી ઉપલબ્ધ કરાવવાનું છે.
EVERSIA અમારા પરિવારની ચાર પેઢીઓની વિશ્વસનીય પરંપરાને આધુનિક સ્વરૂપમાં આગળ વધારવાનો પ્રયાસ છે.”
મેપલ ટ્રી, સુરધારા સર્કલ નજીક, થલતેજ ખાતે આવેલું EVERSIA સ્ટુડિયો આધુનિક ડિઝાઇન, વ્યક્તિગત સેવા અને વિશ્વસનીય કારીગરી સાથે ગ્રાહકોને પ્રીમિયમ શોપિંગ અનુભવ પ્રદાન કરશે.
INSTAGRAM LINK :-
https://www.instagram.com/reel/DbVhtSnMT9Q/?igsh=MTNkcGlnN2t0Y2I5Mw==