અમદાવાદ :- વિરલ દરજી :- મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર સવારે ૮:૦૦ વાગ્યે બાબાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે સાંજે ૮:૩૦ વાગ્યે ૧૧ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મંદિર ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે, જ્યાં હનુમાનજી વિશ્રામ અવસ્થામાં બિરાજમાન છે. મંદિર ખાતે દર રવિવારે સાંજે ૫:૩૦ વાગ્યે સુંદરકાંડના પાઠનું નિયમિત આયોજન કરવામાં આવે છે.
સંત શ્રી નીબ કરૌરી બાબાની શિક્ષા “Love All, Serve All, Feed All” અનુસાર મંદિર ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ૩ રામ રોટી સેવા રથ દ્વારા નિયમિત રીતે આશરે ૫૦૦ જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે.મહાસમાધિ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના ૧૦૦ જેટલા બાળકોએ મંદિર ખાતે શ્રી નીબ કરૌરી બાબા તથા હનુમાનજીના દર્શન કર્યા હતા અને ભક્તિભાવપૂર્વક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
શ્રી નીબ કરૌરી બાબાના આશીર્વાદથી આ મંદિર ધીમે ધીમે લોકોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે.