• પરમ પૂજ્ય દાદાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🌺”માનવ સેવા એ જ પ્રભુ સેવા” !!
વણકર સમાજના વડીલ આદરણીય સ્વ.શ્રી અંબાલાલ જેઠાલાલ મકવાણા (દાદા – મૂળ ગામ: ખેરાલુ) ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સનાતન યુવા ક્લબ દ્વારા તેમને ભાવાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે એક વિશેષ માનવસેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સનાતન યુવા ક્લબ દ્વારા દાદાની પુણ્યસ્મૃતિમાં કાગળના પુષ્પો નહીં, પરંતુ માનવસેવાના કાર્ય દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.જેમ દાદાએ આજીવન જરૂરિયાતમંદોની સેવા કરી, એ જ રાહ પર ચાલીને સનાતન યુવા ક્લબ દ્વારા ભોજન વિતરણ (અન્નક્ષેત્ર) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વ.શ્રી અંબાલાલ જેઠાલાલ મકવાણા (દાદા )એ પોતાનું સમગ્ર જીવન સમાજની ઉન્નતિ અને માનવસેવામાં સમર્પિત કરી દીધું, એવા દાદાના વિચારો અને આદર્શો હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે.”સમાજના તમામ આગેવાનો, વડીલો અને યુવાનોને આ પવિત્ર માનવસેવાના કાર્યમાં સહભાગી બની દાદાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું.
“અન્નદાન એ જ મહાદાન.”દાદાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કોઈ ભૂખ્યાનો જઠરાગ્નિ ઠારે, તેનાથી મોટું કોઈ પુણ્યનું કામ ન હોઈ શકે.