પરંપરા અને સંસ્કૃતિના જતન અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા સેવા સંઘ દ્વારા કુમારીકાઓ માટે “ગૌરી વ્રત ઉજવણી” નું સુંદર અને ભવ્ય આયોજન ઓમ શિવોહમ ફાઉન્ડેશન ના સહયોગ થી કરવામાં આવ્યું છે.
માતા ગૌરીના આશીર્વાદ આપણી દીકરીઓ પર સદા વરસતા રહે અને તે સંસ્કાર તથા ભક્તિના માર્ગે આગળ વધે તેવા શુભ આશયથી અશોક વિહાર કોલોની ખાતે આ આયોજન કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે નિહારિકા પાંડે – તારલા બેન – પરુલબેન દત્ત – ઉપસ્થિત રહ્યા હતા અને વ્રત રાખનાર તમામ દીકરીઓને સંઘ તરફથી જવેરા રોપીને દિકરિયોને અર્પણ કરવામાં આવ્યા હતા.